સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દિવ્યાંગ મિત્રો માટે રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ કલ્યાણકારી પ્રકલ્પોની વિગતવાર માહિતી અહીં જોઈ શકાય છે.
આ કેન્દ્રમાં ૬૦ જેટલાં બાળકો દૈનિક તાલીમ મેળવે છે. દિવ્યાંગ બાળકો જાતે સ્વતંત્ર રીતે રોજિંદી ક્રિયાઓ (જેમ કે બ્રશ કરવું, કપડાં પહેરવા) કરી શકે તે માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે. સ્પીચ થેરાપી અને ઑડિયો રૂમ દ્વારા તેમની બોલવાની અને સાંભળવાની ક્ષમતા વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે.
Cerebral Palsy કે કરોડરજ્જુ સંબંધિત સમસ્યાઓ ધરાવતા બાળકો માટે આ કેન્દ્ર વરદાન સમાન છે. નિષ્ણાત ડોક્ટરોના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગોની હલનચલન પ્રક્રિયા સરળ બનાવવા માટે અદ્યતન સાધનો દ્વારા કસરત અને વ્યાયામ કરાવવામાં આવે છે.
દિવ્યાંગ મિત્રો આત્મનિર્ભર બને તે હેતુથી મીણબત્તી, દીવા, રાખડી, પગલૂછણિયા અને ફ્રૂટ-વેજીટેબલ મોડલ્સ જેવા વિવિધ ડેકોરેટિવ આર્ટિકલ બનાવવાની તાલીમ આપવામાં આવે છે. અત્યાર સુધી ૨૫૦ થી વધુ દિવ્યાંગો અહીંથી તાલીમ મેળવી સ્વનિર્ભર બન્યા છે.