અમારા મુખ્ય પ્રોજેક્ટ્સ અને પ્રવૃત્તિઓ

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના દિવ્યાંગ મિત્રો માટે રાષ્ટ્રીય અંધજન મંડળ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ કલ્યાણકારી પ્રકલ્પોની વિગતવાર માહિતી અહીં જોઈ શકાય છે.

વાત્સલ્ય ડે કેર સેન્ટર

આ કેન્દ્રમાં ૬૦ જેટલાં બાળકો દૈનિક તાલીમ મેળવે છે. દિવ્યાંગ બાળકો જાતે સ્વતંત્ર રીતે રોજિંદી ક્રિયાઓ (જેમ કે બ્રશ કરવું, કપડાં પહેરવા) કરી શકે તે માટે વિશેષ માર્ગદર્શન આપવામાં આવે છે. સ્પીચ થેરાપી અને ઑડિયો રૂમ દ્વારા તેમની બોલવાની અને સાંભળવાની ક્ષમતા વધારવાનો પ્રયાસ કરવામાં આવે છે.

  • સ્પીચ થેરાપી (Speech Therapy)
  • નિયત કાઉન્સિલિંગ (Counseling)
  • પૌષ્ટિક નાસ્તો અને ભોજન
ઈન્ક્વાયરી કરો

ફિઝિયોથેરાપી સેન્ટર

Cerebral Palsy કે કરોડરજ્જુ સંબંધિત સમસ્યાઓ ધરાવતા બાળકો માટે આ કેન્દ્ર વરદાન સમાન છે. નિષ્ણાત ડોક્ટરોના માર્ગદર્શન હેઠળ દિવ્યાંગોની હલનચલન પ્રક્રિયા સરળ બનાવવા માટે અદ્યતન સાધનો દ્વારા કસરત અને વ્યાયામ કરાવવામાં આવે છે.

  • સી.પી. (CP) બાળકો માટે વિશેષ ટ્રેનિંગ
  • અદ્યતન ફિઝિયોથેરાપી સાધનો
  • સચોટ નિદાન અને સમયબદ્ધ કસરતો
ઈન્ક્વાયરી કરો

કૌશલ્યવર્ધન કેન્દ્ર (Skill Development)

દિવ્યાંગ મિત્રો આત્મનિર્ભર બને તે હેતુથી મીણબત્તી, દીવા, રાખડી, પગલૂછણિયા અને ફ્રૂટ-વેજીટેબલ મોડલ્સ જેવા વિવિધ ડેકોરેટિવ આર્ટિકલ બનાવવાની તાલીમ આપવામાં આવે છે. અત્યાર સુધી ૨૫૦ થી વધુ દિવ્યાંગો અહીંથી તાલીમ મેળવી સ્વનિર્ભર બન્યા છે.

  • રાખડી અને શણગારની વસ્તુઓ
  • મીણબત્તી અને દીવા નિર્માણ
  • નેતરની ખુરશી અને ફર્નિચર વર્ક
  • ગૃહ શોભન અને ડેકોરેટિવ આર્ટ